Select Page

વારંવાર પૂછાતા પ્રશ્નો

ન્યૂટ્રીચાર્જ ડીએચએ અંગે પ્રશ્નો

1. ન્યૂટ્રીચાર્જ ડીએચએ શું છે?

ન્યૂટ્રીચાર્જ ડીએચએ એ આહાર સપ્લિમેન્ટ છે.

2. ન્યૂટ્રીચાર્જ ડીએચએ કેવી રીતે લાભદાયી છે?

ન્યૂટ્રીચાર્જ ડીએચએ ભૃણમાં રહેલા શિશુના મગજ (મગજના અંગોના વિકાસ)ના સર્વોત્તમ વિકાસમાં મદદ કરે છે.

3. શું શિશુના મગજનો સંપૂર્ણ વિકાસ ફક્ત માતાના ગર્ભાશયમાં જ થાય છે?

શિશુના મગજનો 70% જેટલો વિકાસ માતાના ગર્ભાશયમાં જ થાય છે.

4. શું ડીએચએ અંગે કોઈ ક્લિનિકલ સંશોધન થયું છે?

અમેરિકા, ઈંગ્લેન્ડ, ઈટાલી, ડેનમાર્ક વગેરે જેવા ઘણા દેશોએ ગર્ભવતી મહિલા દ્વારા ડીએચએના સેવન સંબંધે સંશોધન કર્યા છે. આ સંશોધનોએ સ્થાપિત કર્યું છે કે ગર્ભવતી મહિલા ડીએચએનું સેવન કરે તે સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનાથી શિશુના મગજના સર્વોત્તમ વિકાસમાં મદદ મળે છે.

5. ન્યૂટ્રીચાર્જ ડીએચએમાં ડીએચએનો જથ્થો કેટલો હોય છે?

ક્લિનિકલ સંશોધન અનુસાર ગર્ભવતી મહિલાને દરરોજ 400 મિગ્રા ડીએચએની જરૂર પડે છે ન્યૂટ્રીચાર્જ ડીએચએની દરેક શાકાહારી સોફ્ટ કેપ્સ્યૂલમાં 400 મિગ્રા ડીએચએ હોય છે

6. ન્યૂટ્રીચાર્જ ડીએચએ કોણે લેવું જોઇએ?

ગર્ભવતી મહિલાઓએ ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરવું જોઈએ.

7. ગર્ભસ્થ શિશુ કેવી રીતે ડીએચએ મેળવશે?

કોઈ માતા ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરે છે, તો ડીએચએ ગર્ભનાળ દ્વારા શિશુને મળે છે.

8. ગર્ભવતી મહિલા સિવાય પણ બીજું કોણ ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરી શકે?

સ્તનપાન કરાવતી કે નર્સિંગ માતાઓએ પણ ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરવું જોઈએ.

9. ગર્ભાધાનના કયા મહિનાથી ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરી શકાય?

ગર્ભાધાનની શરૂઆતથી જ ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરી શકાય છે.

10. શું ન્યૂટ્રીચાર્જ ડીએચએનું ગર્ભાધાન પહેલાંથી સેવન કરી શકાય છે?

હા, એક પણ દિવસ ન ગુમાવતાં ગર્ભાધાનના આયોજનના સમયથી જ ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

11. કોઈ મહિલાની ગર્ભાવસ્થાના બે-ત્રણ મહિના થઈ ગયા હોય અને છતાં તેણે ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન શરૂ ન કર્યું હોય તો શું?

તમે આજથી જ ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન શરૂ કરી શકો છો. તમે તેનું સેવન શરૂ કરો છો ત્યારથી જ તમારા શિશુને તેનો લાભ મળવા લાગશે.

12. કોઈ મહિલાએ ક્યાં સુધી ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરવું?

ન્યૂટ્રીચાર્જ ડીએચએનું ગર્ભાવસ્થા તેમજ સ્તનપાનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન સેવન કરવું જોઈએ.

13. દિવસના કયા સમયે ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન કરી શકાય?

ન્યૂટ્રીચાર્જ ડીએચએનું સેવન દિવસના કોઈ પણ સમયે કરી શકાય.

14. એક દિવસમાં ન્યૂટ્રીચાર્જ ડીએચએની કેટલી કેપ્સ્યૂલનું સેવન કરવું જોઈએ?

દરરોજ ન્યૂટ્રીચાર્જ ડીએચએની ફક્ત એક જ કેપ્સ્યૂલ લેવી જોઈએ.

15. શું ન્યૂટ્રીચાર્જ ડીએચએની ગંધથી ગર્ભવતી મહિલાને ઉબકા આવી શકે?

ન્યૂટ્રીચાર્જ ડીએચએમાં કોઈ દુર્ગંધ આવતી નથી. તેમાં તો ટૉફી જેવી મીઠી સુગંધ આવે છે જે તમામ ગર્ભવતી મહિલાઓને ખૂબ પસંદ હોય છે.

16. શું ન્યૂટ્રીચાર્જ ડીએચએ માટે તબીબનું પ્રિસ્ક્રીપ્શન જરૂરી છે?

ન્યૂટ્રીચાર્જ ડીએચએ એક આહાર સપ્લિમેન્ટ છે. તેના માટે તબીબના પ્રિસ્ક્રીપ્શનની કોઈ જરૂર નથી.

17. શું ન્યૂટ્રીચાર્જ ડીએચએની સાથે ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટનું સેવન કરી શકાય?

હા, ન્યૂટ્રીચાર્જ ડીએચએ સાથે ન્યૂટ્રીચાર્જ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટનું સેવન કરી શકાય.

18. ન્યૂટ્રીચાર્જ ડીએચએમાં સામેલ કરાયેલા શાકાહારી ડીએચએનું સ્ત્રોત શું છે?

શાકાહારી ડીએચએ કે જેને ન્યૂટ્રીચાર્જ ડીએચએમાં સામેલ કરાયેલું છે તે દરિયાઈ વનસ્પતિમાંથી મેળવાયેલું છે.

19. ન્યૂટ્રીચાર્જ ડીએચએની કેપ્સ્યૂલને કેવી રીતે શાકાહારી કહી શકાય?

ન્યૂટ્રીચાર્જ ડીએચએની વેજ સોફ્ટ કેપ્સ્યૂલ કેરેગીનનની બનેલી છે જે શાકાહારી છે.

20. શું ન્યૂટ્રીચાર્જ ડીએચએ ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત છે?

ન્યૂટ્રીચાર્જ ડીએચએ ગર્ભવતી મહિલાઓ માટે સંપૂર્ણ સુરક્ષિત છે. તેને તેમના માટે જ બનાવાયું છે.

21. ન્યૂટ્રીચાર્જ ડીએચએના એક પેકમાં કેટલી કેપ્સ્યૂલ હોય છે?

ન્યૂટ્રીચાર્જ ડીએચએના દરેક પેકમાં 30 કેપ્સ્યૂલ (15 કેપ્સ્યૂલની એક એવી બે સ્ટ્રીપ) હોય છે જે આખો મહિનો ચાલે છે.

ન્યૂટ્રીચાર્જ મેન અંગેના પ્રશ્નો

1. ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટ શું છે?

ન્યૂટ્રીચાર્જ મેન એ સર્વગ્રાહી દૈનિક ન્યૂટ્રીશનલ સપ્લિમેન્ટ છે જે 35 વિટામીન, ખનિજો, એમિનો એસિડ અને એન્ટિઓક્સિડેન્ટ પૂરા પાડે છે જેથી પુરુષોને ચુસ્ત અને તંદુરસ્ત રહેવા માટે સંતુલિત પોષણ દ્વારા જરૂરી દૈનિક પોષણની જરૂરિયાત પૂરી થાય છે.

2. શું ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટનું શાકાહારીઓ સેવન કરી શકે?

હા, કારણ કે તેમાં કોઈ પ્રાણીજન્ય (બિન-શાકાહારી) તત્ત્વ હોતું નથી.

3. ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટને દરરોજ લેવાના શા લાભો છે?

આધુનિક જીવનશૈલી, ફાસ્ટફૂડ, અસમતોલ આહાર અને નબળા પાચનને લીધે તમામ સૂક્ષ્મ પોષકતત્ત્વોને જરૂરી જથ્થામાં મેળવવા અઘરા છે. આ સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને કારણે ઊર્જા અને સ્ટેમિનાની ઉણપ વર્તાય છે, રોગપ્રતિકારશક્તિ નબળી, સ્નાયુ, હાડકાં અને દાંત નબળા પડે છે. ન્યૂટ્રીચાર્જ મેન પોષણને લગતી ખામીઓને અટકાવવા જરૂરી માત્રામાં આવશ્યક પોષકતત્ત્વો પૂરા પાડે છે, વિવિધ અંગોની કામગીરીને સરળ બનાવવામાં મદદ કરે છે અને હૃદયને લાભ કરે છે તથા ડાયાબિટીસને કાબૂમાં રાખે છે.

4. શું ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટની કોઈ આડઅસર છે?

ન્યૂટ્રીચાર્જ મેન સામાન્ય રીતે ભોજન બાદ લેવાય તો મોટાભાગના પુરુષોમાં સહિષ્ણુ જોવા મળી છે. તેનાથી ભાગ્યે જ કોઈને ઊબકા, ઊલટી કે પેટમાં ગરબડ જેવું થાય છે.

5. મને ડાયાબિટીસ છે, તો શું હું ન્યૂટ્રીચાર્જ મેનનું સેવન કરી શકું?

હા, તમે ન્યૂટ્રીચાર્જ મેનનું સેવન કરી શકો કારણ કે તે ડાયાબિટીસવાળી વ્યક્તિને હાનિકર્તા નથી. ક્રોમિયમ, વેનાડિયમ અને ઝીંક જેવા ખનિજો પણ ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે. ગ્રીન ટીના અર્કથી ચરબી બાળવામાં મદદ મળે છે, જ્યારે વિટામીન એ તથા અન્ય એન્ટિઓક્સિડેન્ટ્સ રોગપ્રતિકારકતા વધારીને આંખને થતું નુકસાન રોકે છે. જો કે, તમે અગાઉથી વિટામીન-ખનિજ સપ્લિમેન્ટ લેતા હોવ તો તમારા તબીબની સલાહ લો.

6. આ પ્રોડક્ટનો ઉપયોગ કોણે કરવો જોઇએ?

14 વર્ષથી વધુ વયના છોકરાઓ અને તમામ પુખ્તવયના પુરુષો ન્યૂટ્રીચાર્જ મેનનું સેવન કરી શકે છે.

7. હું ક્યારે ન્યૂટ્રીચાર્જ મેનનું સેવન કરી શકું અને દિવસમાં કેટલી ટેબ્લેટ લઈ શકું?

બ્રેકફાસ્ટ અથવા બપોરના ભોજન બાદ ન્યૂટ્રીચાર્જની 1 ટેબ્લેટ એક ગ્લાસ પાણી સાથે લો.

8. શું મારે ન્યૂટ્રીચાર્જ લેતા પહેલાં તબીબના પ્રિસ્ક્રીપ્શનની જરૂર છે?

આ એક ડાયેટરી સપ્લિમેન્ટ હોવાને લીધે ન્યૂટ્રીચાર્જ મેનનું તમે તમારી જાતે સેવન કરી શકો છો, જો કે તમને જરૂર લાગે તો તમારા તબીબની સલાહ લઇ શકો છો.

9. હું થોડાક સમય સુધી ચાલુ રાખું તો શું મારું વજન વધશે કે ઘટશે?

ફક્ત આહારની ઉણપોને સુધારવા પર જ કામ કરતું ન્યૂટ્રીચાર્જ મેન એક પોષકતત્ત્વોનું સપ્લિમેન્ટ હોવાને લીધે તે વજન નથી વધારતું. ગ્રીન ટીનો અર્ક ચરબી બાળવામાં મદદ કરી શકે છે.

10. શું ન્યૂટ્રીચાર્જ મેન એક ઔષધિ છે?

ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટ એ કાંઈ ઔષધિ નથી. તે બી કોમ્પલેક્સ ફેક્ટર્સ, અન્ય વિટામીનો, ખનિજો અને એમિનો એસિડ્સ ધરાવતું દૈનિક પોષણ સપ્લિમેન્ટ છે.

11. તેનું કેટલા સમય સુધી સેવન કરવું જોઈએ?

ન્યૂટ્રીચાર્જ મેનની એક ટેબ્લેટ લાંબા સમય સુધી લેવી જોઈએ.

12. હું થોડાક સમય સુધી ન્યૂટ્રીચાર્જ મેન લઉં તો શું મને તેનું વ્યસન થઈ જશે?

ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટ ટેવ પાડનારી વસ્તુ નથી અને તમે તમારી ઈચ્છા મુજબના ગાળા સુધી તેનું સેવન કરી શકો છો પરંતુ મહત્તમ લાભ મેળવવા માટે તમે તેનું લાંબા સમય સુધી સેવન કરો તે સલાહભર્યું છે.

13. ન્યૂટ્રીચાર્જ મેનનું સેવન કરતા પહેલાં શું મારે તબીબની સલાહ લેવી જોઇએ?

ન્યૂટ્રીચાર્જ મેન એક દૈનિક આરોગ્યલક્ષી સપ્લિમેન્ટ હોવાથી તબીબના પ્રિસ્ક્રીપ્શનની કોઈ જરૂર નથી. વિશ્વ સ્તરે આરોગ્ય/ડાયેટરી સપ્લિમેન્ટનું પ્રિસ્ક્રીપ્શન વિના જ વેચાણ કરાય છે. ભારતના લોકો પણ વેલનેસ પ્રોડક્ટ્સના પુષ્કળ સંભવિત લાભોને અનુભવી ચૂક્યા છે અને ન્યૂટ્રીચાર્જ મેન ઉચ્ચ ગુણવત્તાશીલ આરોગ્ય સપ્લિમેન્ટ છે.

14. શું ન્યૂટ્રીચાર્જ મેનનું ટ્રાયલ પેક ઉપલબ્ધ છે?

ન્યૂટ્રીચાર્જ મેનનું 30 ટેબ્લેટનું પેક ફક્ત રૂ. 350/-માં આવે છે અને તે આખો મહિનો ચાલે છે.

15. હું ચોક્કસ ડાયેટ પ્લાન પર છું. તો પણ શું હું ન્યૂટ્રીચાર્જ લઈ શકું?

તમે ચોક્કસ ડાયેટ પર હોવ અથવા ડાયેટિંગ કરતા હોવ તો પણ ન્યૂટ્રીચાર્જ મેન તમને લાભદાયી નિવડી શકે કારણ કે તે આવશ્યક વિટામીન, ખનિજો અને એમિનો એસિડ આપે છે જે તમને તમારા મર્યાદિત આહારથી નથી મળતો.

ન્યૂટ્રીચાર્જ વુમન અંગેના પ્રશ્નો

1. ન્યૂટ્રીચાર્જ વુમનની ટેબ્લેટ લેવાના લાભો કયા છે?

ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટ મહિલાઓ માટે 53 લાભદાયી પોષકતત્ત્વો પૂરા પાડે છે, જેમાં મહિલાઓના આરોગ્યને ઉત્તેજન આપી તેમને યુવાન રાખવામાં મદદ કરતા 14 જવલ્લે મળતા ફળોના અર્કમાંથી બનેલા ફાયટોન્યૂટ્રિએન્ટનો સમાવેશ થાય છે. તે 6 ખાસ પોષકતત્ત્વો પણ પૂરા પાડે છે જે મહિલાઓના જીવનકાળમાં ચોક્કસ આરોગ્યલક્ષી સમસ્યાઓને દૂર કરે છે. તદુપરાંત તેનાથી તેમની 33 આવશ્યક વિટામીન, ખનિજ, એન્ટિઓક્સિડેન્ટ અને એમિનો એસિડ્સની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ મળે છે જે તેમને તંદુરસ્ત રાખે છે.

2. શું ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટનું શાકાહારીઓ સેવન કરી શકે?

હા, શાકાહારીઓ તેનું સેવન કરી શકે કારણ કે ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટમાં કોઈ પ્રાણીજન્ય (બિન-શાકાહારી) સ્ત્રોતના ઘટકો હોતા નથી.

3. શું ન્યૂટ્રીચાર્જ વુમનની કોઈ આડઅસર છે?

જમ્યા બાદ ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટને દૈનિક 1 ટેબ્લેટની માત્રામાં લેવાય તો મોટાભાગની મહિલાઓમાં તે સુસહિષ્ણુ જોવા મળી છે. તેનાથી ઉબકા, ઊલટી, કબજિયાત, ઝાડા કે પેટમાં ગરબડ જવલ્લે જ થાય છે.

4. મને ડાયાબિટીસ છે. શું હું ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટ લઈ શકું?

ન્યૂટ્રીચાર્જ વુમન એ ડાયાબિટીસમાં ખૂબ જ લાભદાયી નિવડે છે. ક્રોમિયમ અને વેનાડિયમ જેવા ખનિજો શરીર દ્વારા કરાતા શર્કરાના વપરાશને સુધારે છે, ગ્રીન ટીનો અર્ક ચરબી બાળે છે, જ્યારે વિટામીન એ, ઝીંક તથા અન્ય એન્ટિઓક્સિડેન્ટ પોષકતત્ત્વો રોગપ્રતિકારકતા વધારે છે અને આંખને થતું નુકસાન રોકે છે. તમે તમારા તબીબની પણ સલાહ લઇ શકો છો.

5. ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટનું સેવન કોણે કરવું જોઈએ?

ન્યૂટ્રીચાર્જ વુમનનું સેવન 14 વર્ષ કે તેથી વધુ વયની તમામ યુવતીઓ અને મહિલાઓએ કરવું જોઈએ.

6. શું મને ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટ લેવા માટે તબીબના પ્રિસ્ક્રીપ્શનની જરૂર છે?

ન્યૂટ્રીચાર્જ વુમન આરોગ્યલક્ષી સપ્લિમેન્ટ હોવાને કારણે તેની ટેબ્લેટને પ્રિસ્ક્રીપ્શન વિના પણ લઈ શકાય છે, પરંતુ તમને જરૂર લાગે તો કૃપા કરીને તમારા તબીબની સલાહ લો.

7. હું લાંબા સમય માટે ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટ લઉં તો શું મારું વજન વધશે કે ઘટશે?

ન્યૂટ્રીચાર્જ વુમન એક આરોગ્યલક્ષી સપ્લિમેન્ટ છે જે છોકરીઓ અને મહિલાઓને ચુસ્ત રાખવા માટે આહારની ઉણપોને સુધારવા પર કામ કરે છે અને તે ચયાપચયની ક્રિયા સુધારે છે. તેમાં શરીરના વજનને અસર કરતા કોઈ ચોક્કસ ઘટકો નથી. ગ્રીન ટીનો અર્ક ચરબી બાળવામાં મદદ કરી શકે છે.

8. શું ન્યૂટ્રીચાર્જ વુમન એક ઔષધિ છે?

ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટ એ કાંઈ ઔષધિ નથી. તે ખૂબ જ લાભદાયી બાટેનિકલ્સ (ફાયટોન્યૂટ્રિએન્ટ્સ), મહિલાઓને મદદરૂપ થતા જવલ્લે જ જોવા મળતા પોષકતત્ત્વો, ખનિજો, એમિનો એસિડ્સ, બી-કોમ્પલેક્સ તથા અન્ય વિટામીન ધરાવતું દૈનિક આરોગ્યલક્ષી સપ્લિમેન્ટ છે.

9. ન્યૂટ્રીચાર્જ વુમનનું કેટલા સમય સુધી સેવન કરવું જોઈએ?

બ્રેકફાસ્ટ કે બપોરના ભોજન બાદ ન્યૂટ્રીચાર્જ વુમનની એક ટેબ્લેટ એક ગ્લાસ પાણી સાથે લાંબા સમય સુધી લેવી જોઈએ.

ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટને લગતા પ્રશ્નો

પ્ર.1 – ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટનું કેટલા સમય સુધી સેવન કરવું જોઈએ?

બંને પુખ્તો અને બાળકોને પોતાના શરીરની વૃદ્ધિ, મરામત અને તેને જાળવી રાખવા માટે દરરોજ આશરે 1 ગ્રામ/કિગ્રા પ્રોટીનની જરૂર પડે છે. ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ એ પ્રોટીનનું સર્વોત્તમ સ્ત્રોત હોવાને લીધે આપણા પ્રોટીન પોષણના ગાળાને ભરવા માટે દરરોજની ભલામણ કરાયેલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) દ્વારા પણ પુષ્ટિ કરાઈ છે કે દરરોજ 25 ગ્રામ જેટલા સોયા પ્રોટીનને ઓછી ચરબીવાળા આહાર સાથે લેવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે.

પ્ર.2 – હું પૂરતા પ્રમાણમાં ફળો, શાકભાજી અને કઠોળ નું સેવન કરતો/કરતી હોઉં તો પણ શું ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લેવાથી મને લાભ થશે?

ફળો, શાકભાજીઓ અને કઠોળ આપણને અમુક પ્રોટીન આપે છે, પરંતુ આપણે વિવિધ જાતના કઠોળ, મેવા, બરછટ અનાજ તથા ડેરી પેદાશોનું દરરોજ પુરતી માત્રામાં સેવન ન કરીએ, તો આપણને પૂરતી માત્રામાં તમામ આવશ્યક એમિનો એસિડ્સ સાથે સરળતાથી પચી શકે તેવા સંપૂર્ણ પ્રોટીન મળતા નથી. આપણામાંના અમુકને શાકાહારી પ્રોટીન પચાવવામાં પણ મુશ્કેલી પડે છે. ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ ઉચ્ચ ગુણવત્તાશીલ સોયા પ્રોટીન પૂરું પાડે છે, જે સરળતાથી પચી શકે અને હૃદયને લાભદાયી હોય એવા સંપૂર્ણ પ્રોટીન નો સ્ત્રોત છે જે આપણા એકંદર આરોગ્ય માટે પણ લાભદાયી છે. આપણે ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટમાંથી તમામ નવ આવશ્યક એમિનો એસિડ્સને સમતોલ પ્રમાણમાં મેળવી શકીએ છીએ.

પ્ર.3 – હું મારી જાતને થાકેલો અને ઝડપથી ઊર્જાહીન મહેસૂસ કરું છું. શું મને ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટથી લાભ થશે?

પ્રોટીનની ઉણપથી વિવિધ અંગો નબળા પડે છે, ટિશ્યુની મરામત અને જાળવણી રોકાઇ જાય છે તેમજ રોગપ્રતિકારકતા ઘટી જાય છે. ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ ઉચ્ચ-ગુણવત્તાશીલ શુદ્ધ તથા પ્રોસેસ કરેલું સોયા પ્રોટીન પૂરું પાડે છે જે શારીરિક ક્ષમતા અને રોગપ્રતિકારકતા સુધારવામાં મદદ કરે છે. તમામ મુખ્ય ખનિજો અને વિટામીન મેળવવા માટે પુખ્તોએ પણ દરરોજ ન્યૂટ્રીચાર્જ મેન/વુમનની એક ટેબ્લેટ લેવી જોઈએ.

પ્ર. 4 – શું ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટની કોઈ આડઅસર છે?

આપણે સમતોલ જથ્થામાં ફક્ત કુલ પોષણના સાધન તરીકે પ્રોટીન લેવું જોઈએ. ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ ભલામણ જથ્થામાં લેવાય તો સુસહિષ્ણુ છે પરંતુ વધુ પડતી માત્રામાં લેવાથી ગેસ થઈ શકે છે. કિડનીના દર્દીઓએ ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લેતાં પહેલાં તેમના તબીબનો સંપર્ક કરવો. સંધિવાના દર્દીઓ પણ ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લઈ શકતા નથી.

પ્ર. 5 – હું અન્ય ઔષધિઓ પણ લઉં છું, તો શું હું તેમની સાથે ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લઈ શકું?

ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ એક આરોગ્ય સપ્લિમેન્ટ છે જેનું સામાન્ય રોગોથી પીડાતા લોકો પણ સેવન કરી શકે છે. જો કે, યકૃત અને કિડનીના દર્દીઓ તથા અન્ય ગંભીર બિમારીના દર્દીઓએ તેમના તબીબનો સંપર્ક કરવો. સંધિવાના દર્દીઓ ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લઈ શકતા નથી.

પ્ર. 6 – હું હૃદયની સમસ્યા ધરાવતો ડાયાબિટીસનો દર્દી છું, તો શું હું ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લઈ શકું?

ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટમાં સોયા પ્રોટીન છે જે રક્ત શર્કરા અને લોહીમાં કોલેસ્ટ્રોલને મર્યાદિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે. તદુપરાંત ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટમાં કોઈ વધારાની શર્કરા અને ચરબી નથી. તેમાં પ્રતિરોધક મેલ્ટોડેક્સટ્રિન (ડાયેટરી ફાઈબર) પણ છે જે ડાયાબિટીસમાં લાભદાયી છે. જો કે, ગંભીર બિમારીના દર્દીઓએ પહેલાં તેમના તબીબની સલાહ લેવી.

પ્ર.7 – શું આપણે બાળકો અને વૃદ્ધ લોકોને તે આપી શકીએ?

બાળકો અને વૃદ્ધો પણ ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લઈ શકે છે. મોટા થતા બાળકોને તેમના વિકાસ અને શારીરિક વૃદ્ધિ માટે જરૂરી પ્રોટીન તથા તમામ આવશ્યક એમિનો એસિડ્સ મળી શકે છે. વૃદ્ધો ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટના સંપૂર્ણ પ્રોટીનને સરળતાથી પચાવીને વધુ તંદુરસ્ત બની શકે છે. ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટમાં ફાઈબરથી પાચનશક્તિ પણ વધે છે.

પ્ર.8 – ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ આપવાના શા લાભો છે?

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓની પ્રોટીન જરૂરિયાતો ઘણી ઊંચી હોય છે. તેઓ તેમના તબીબનો સંપર્ક સાધ્યા બાદ જ ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લઈ શકે છે કારણ કે તે ઉચ્ચ ગુણવત્તાશીલ પ્રોટીન ઉપરાંત આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ ધરાવતું સર્વોત્તમ સપ્લિમેન્ટ છે. સંપૂર્ણ પ્રોટીન માતા અને શિશુ બંનેમાં રોગ પ્રતિકારકતા સુધારવામાં મદદ કરે છે અને બાળકની યોગ્ય વૃદ્ધિમાં પણ મદદ કરે છે.

પ્ર.9 શું ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટને શાકાહારી લોકો લઈ શકે?

હા, શાકાહારી લોકો તેને લઈ શકે છે કારણ કે ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટમાં કોઈ પ્રાણીજન્ય (બિન-શાકાહારી) સ્ત્રોત નથી.

પ્ર.10. મારે ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ કેવી રીતે અને કેટલી માત્રામાં લેવું?

પુખ્ત પુરુષો અને મહિલાઓ 2 માપિયા (પ્રત્યેક 20 ગ્રામ) ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ લઈ શકે છે, જ્યારે બાળકો દરરોજ 1 માપિયું લઈ શકે છે. ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ પાઉડરને ઠંડા દૂધ કે પાણીની સાથે શેકર કે મિક્સરમાં ઉમેરો. ખાંડ કે સ્વીટનરને સ્વાદ અનુસાર ઉમેરીને શેક કરો. ત્યારબાદ પૂરતી માત્રામાં દૂધ અને પાણી ઉમેરીને આ મિશ્રણને પી જાવ.

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફને લગતા પ્રશ્નો

પ્ર.1 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ શું છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ એ પોષકતત્ત્વો ધરાવતું સપ્લિમેન્ટ છે જે શરીરની ચરબી ઘટાડવામાં અસરકારક છે.

પ્ર.2 – મારું શરીર તંદુરસ્ત હોય તો પણ શા માટે મારે ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું સેવન કરવું જોઈએ?

એક સામાન્ય શરીરમાં પણ ચરબી તો હોય જ છે જેને ફક્ત બોડી સ્કેનર વડે જ જાણી શકાય છે. કૃપા કરીને તમારા શરીરની બોડી સ્કેનર પર તપાસ કરાવો. ચરબીનું પ્રમાણ પુરુષોમાં 25% અને મહિલાઓમાં 30% થી વધુ હોય તો તેમણે ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

પ્ર.3 – વજન ઉતારવાની પ્રક્રિયામાં સ્નાયુઓને રક્ષણ આપવું શા માટે જરૂરી છે?

કારણ કે સ્નાયુઓ નબળા પડે તો અશક્તિ આવે છે

પ્ર.4 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ અત્યંત ખર્ચાળ છે?

કૃપા કરીને તે તમારા નાણાંનું કેટલું મૂલ્ય પૂરું પાડે છે તે સમજો. શરીરની વધારાની ચરબીથી ભવિષ્યમાં હૃદયરોગ, ડાયાબિટીસ, ઘૂંટણમાં પીડા, વગેરે જેવી ગંભીર બીમારી થાય છે. આ બીમારીના ઈલાજમાં લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે. જો તમે તમારા શરીરમાં ચરબીને ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ વડે ઘટાડો, તો તમે તમારી જાતને આ જીવલેણ બીમારીઓથી જ નહીં બચાવો, પરંતુ સાથે-સાથે તેની પર થતા ઊંચા ખર્ચાથી પણ બચી જશો.

પ્ર.5 – શું ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ સાથે ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટનું સેવન કરી શકાય?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું રાત્રિભોજનના સ્થાને સેવન કરી શકાય છે. ન્યૂટ્રીચાર્જ મેન અથવા ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ અથવા ન્યૂટ્રીચાર્જ વુમન અને ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટનું દરરોજ સવારે સેવન કરવું ખૂબ લાભદાયી છે.

પ્ર.6 – દિવસના કયા સમયે ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું સેવન કરી શકાય?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ એ “ભોજનની અવેજી”ની પ્રોડક્ટ છે. તેનું રાત્રિભોજનના સ્થાને સેવન કરી શકાય છે.

પ્ર.7 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું કેટલા લાંબા સમય સુધી સેવન કરી શકાય?

જ્યાં સુધી બોડી સ્કેનર ચરબીનું પ્રમાણ પુરુષોમાં 20% અને મહિલાઓમાં 25% કરતા નીચું ન બતાવે ત્યાં સુધી ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું સેવન કરવું.

પ્ર.8 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ આપણા શરીરની ચરબી ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાંના ચરબી ઘટાડનારા તત્ત્વો આપણા શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

પ્ર.9 –બજારમાં ઉપલબ્ધ વજન ઉતારનારી અન્ય પ્રોડક્ટ્સ કરતા ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ કેવી રીતે લાભદાયી છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં ચરબી ઘટાડનારા તત્ત્વો અને શ્રેષ્ઠ ગુણવત્તાના પ્રોટીન છે.

પ્ર.10 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં પ્રોટીન શા માટે ઉમેરાયું છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાંનું પ્રોટીન સ્નાયુઓને બચાવીને શરીરમાં નવી ચરબીને જમા થવા દેતું નથી.

પ્ર.11 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં ચરબી ઉતારનારા કેટલા અને કયા તત્ત્વો ઉમેરાયા છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં ચરબી ઉતારનારા કુલ ત્રણ તત્ત્વો છે તે છે: ગાર્સિનિયા કમ્બોજિયા, સીએલએ અને ગ્રીન કોફી બીનનો અર્ક.

પ્ર.12 – ગ્રીન કોફી બીન અર્કમાં એવું તે શું ખાસ છે જેને ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં ઉમેરાયું છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં ઉમેરાયેલા ગ્રીન કોફીન બીનમાં સ્વેતોલ છે જે ક્લિનિકલી પૂરવાર થયેલ છે.

પ્ર.13 – ગ્રીન કોફી બીન અર્ક શરીરની ચરબી ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

તે શરીરમાં અગાઉથી જમા થયેલી ચરબીને ઘટાડે છે.

પ્ર.14 – હું રાત્રિના સમયે ગ્રીન કોફી બીન અર્ક લઈશ તો મને ઊંઘ નહીં આવે.

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં ઉમેરાયેલો ગ્રીન કોફી બીન અર્ક કેફિનમુક્ત કરાયેલો છે. તેથી રાત્રે ઉંઘ ન આવવાનું કોઇ કારણ જ રહેતું નથી.

પ્ર.15 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં કયું સીએલએ ઉમેરાયું છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં ટોનાલિન સીએલએ (ઈટાલીનું) ઉમેરાયું છે.

પ્ર.16 – શું આ સીએલએ ક્લિનિકલી પૂરવાર થયેલું છે?

હા, આ સીએલએ શરીરની ચરબી ઘટાડવા માટે ક્લિનિકલી પૂરવાર થયેલું છે.

પ્ર.17 – સીએલએ કેવી રીતે શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે?

સીએલએ શરીરમાં ચરબીના કોષોની સંખ્યા ઘટાડે છે. તે આ કોષોમાં જમા થયેલી ચરબીને પણ ઘટાડે છે.

પ્ર.18 – શરીરની ચરબી ઘટાડવામાં ગાર્સિનિયા કમ્બોજિયા કેવી રીતે મદદ કરે છે?

ગાર્સિનિયા કમ્બોજિયા જૂની જમા થયેલી ચરબીને ઘટાડીને નવી ચરબીને શરીરમાં જમા થતી અટકાવે છે.

પ્ર.19 – ક્લિનિકલી પૂરવાર કરાયું હોવાથી ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફની મહત્તા શું છે?

તેનો મતલબ એ થયો કે સરકાર માન્ય નિષ્ણાતોની નૈતિકતા સમિતિ દ્વારા પ્રમાણિત કરાયું છે કે આ પ્રોડક્ટ શરીરની ચરબી ઘટાડતી હોવાનું વૈજ્ઞાનિક ઢબે પૂરવાર થયું છે. તેનાથી એ પણ પૂરવાર થાય છે કે આ પ્રોડક્ટ ઉપયોગ માટે બિલકુલ સુરક્ષિત છે.

પ્ર.20 – ન્યૂટ્રિચાર્જ એસએન્ડએફમાં કેટલા પ્રકારના પ્રોટીન રહેલા છે?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફમાં આઈસોલેટેડ સોયા પ્રોટીન અને વ્હે પ્રોટીન છે.

પ્ર.21 – દરેક સેશેમાં કેટલું પ્રોટીન હોય છે?

દરેક સેશેમાં 15 ગ્રામ પ્રોટીન હોય છે.

પ્ર.22 – આ પ્રોટીનનું સ્ત્રોત કયું હોય છે?

આ પ્રોટીન ડ્યૂપોન્ટ, અમેરિકા ખાતેથી મેળવાયેલું છે.

પ્ર.23 – શું ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ લેતી વેળાએ આહારમાં ધ્યાન રાખવું જોઈએ?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ લેતી વેળાએ કદી રાત્રિભોજન કરવું જોઈએ નહીં. આખા દિવસમાં કુલ 1500 કેલરીનો આહાર જ લેવો અને ચરબીયુક્ત ભોજન આરોગવાનું ટાળવું જોઈએ. તમે ન્યૂટ્રીશન સાયન્સ બુકમાં અપાયેલા ડાયેટ પ્લાનને અનુસરી શકો છો.

પ્ર.24 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ લેતી વેળાએ શું કસરત કરવી આવશ્યક છે?

હા, ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ લેતી વેળાએ કસરત કરવી (6000 ડગલાં ચાલવું અને 250 પગથિયાં ચઢવા) આવશ્યક છે.

પ્ર.25 – શું ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફને ડાયાબિટીસવાળી વ્યક્તિ લઈ શકે?

કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય, તો સૌથી પહેલાં આ ડાયાબિટીસને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ, ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ અને તબીબે તમને આપેલી ઔષધિ દ્વારા કાબૂમાં લેવો. ત્યારબાદ, કૃપા કરીને શરીરની ચરબી ઘટાડવા ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું સૂચન કરવું.

પ્ર.26 – કઈ ઉંમરે ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું સેવન શરૂ કરી શકાય?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું સેવન 14 વર્ષની વયથી શરૂ કરી શકાય છે.

પ્ર.27 – ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ લીધા પછી પણ રાત્રે ભૂખ લાગે તો શું કરવું?

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ લીધા બાદ રાત્રે ભૂખ લાગે તો સલાડ કે સૂપ લઈ શકાય.

ન્યૂટ્રીચાર્જ બીજે અંગે પ્રશ્ન

પ્ર.1 – ન્યૂટ્રીચાર્જ બીજે શું છે?

ન્યૂટ્રીચાર્જ બીજે એ હાડકાં અને સાંધા માટેનું આરોગ્ય સપ્લિમેન્ટ છે. તેને ખાસ ઘૂંટણના સાંધા માટે બનાવાયું છે.

પ્ર.2 – શું ન્યૂટ્રીચાર્જ બીજે એક ઔષધિ છે?

ન્યૂટ્રીચાર્જ બીજે ઔષધિ નથી. તે એક આહાર સપ્લિમેન્ટ છે.

પ્ર.3 – ન્યૂટ્રીચાર્જ બીજેનું સેવન કોણે કરવું જોઈએ?

જેમને ઘૂંટણના સાંધામાં પીડા થયા કરે તેમણે તુરત જ ન્યૂટ્રીચાર્જ બીજેનું સેવન શરૂ કરી દેવું.

પ્ર.4 – અન્ય સાંધાના દર્દ માટે અને તેમને મજબૂત કરવા માટે શું ન્યૂટ્રીચાર્જ બીજેનો ઉપયોગ કરી શકાય?

ઘૂંટણના સાંધા સૌથી મહત્ત્વના છે કારણ કે તે આપણા આખા શરીરનો ભાર ઉપાડે છે. આ કારણે, આ સાંધાની કાળજી રાખવી સૌથી મહત્ત્વની છે. આમ છતાં ન્યૂટ્રીચાર્જ બીજે અન્ય સાંધાના આરોગ્યને પણ સુધારી શકે છે.

પ્ર.5 – શું ન્યૂટ્રીચાર્જ બીજે અત્યંત ખર્ચાળ છે?

કૃપા કરીને તે તમારા નાણાંનું કેટલું મૂલ્ય પૂરું પાડે છે તે સમજો. ઘૂંટણ બદલાવવાની સર્જરીના લાખો રૂપિયા થાય છે. તમે ન્યૂટ્રીચાર્જ બીજેનું અત્યારથી જ સેવન શરૂ કરીને ભવિષ્યમાં મોટા ખર્ચાના ખાડામાં પડવાથી બચી શકો છો.

પ્ર.6 – શું ન્યૂટ્રીચાર્જ બીજે ટેબ્લેટ અને સેશે સાથે લેવા જરૂરી છે?

ન્યૂટ્રીચાર્જ બીજેની વૈજ્ઞાનિક ફોર્મ્યુલાને એ રીતે તૈયાર કરાઈ છે કે અમુક પોષક તત્ત્વોને એક ટેબ્લેટમાં ગોઠવીને અમુક પોષકતત્ત્વોને સેશેમાં ગોઠવાયા છે. જે પોષકતત્ત્વોને એક ટેબ્લેટમાં અસરકારક રીતે રાખી શકાયા ન હોત તેઓને સેશેમાં રાખવામાં આવ્યા છે. ટેબ્લેટમાં એવા પોષકતત્ત્વો છે જેઓને તેમના કડવા સ્વાદને લીધે પાઉડરમાં ઉમેરી શકાતા નથી. આ કારણથી જ સર્વોત્તમ અસરકારકતા માટે ન્યૂટ્રીચાર્જ બીજે ટેબ્લેટ અને સેશેનું સાથે સેવન કરવું જોઈએ.
અમુક પોષકતત્ત્વોને ટેબ્લેટમાં ઉમેરાયા છે. તેમનું શોષણ સારી રીતે થવા માટે અન્ય પોષકતત્ત્વોને સેશેમાં ઉમેરાયા છે. ઉદાહરણ સ્વરૂપે ટેબ્લેટમાં રાખેલું વિટામીન કે27 વધુ સારી રીતે શોષાય તે માટે કેલ્શિયમને સેશેમાં રખાયું છે. આમ સેશે અને ટેબ્લેટ બંનેનું સાથે સેવન કરવું જરૂરી છે.

પ્ર.7 – ન્યૂટ્રીચાર્જ બીજેનું કેટલા સમય સુધી સેવન કરવું?

સામાન્ય રીતે ન્યૂટ્રીચાર્જ બીજે એક મહિનામાં અસર કરવા લાગે છે. પરંતુ વધુ સારી રાહત માટે તેનું ઓછામાં ઓછા 3 મહિના સેવન કરવું જોઇએ. દરેક વ્યક્તિને રાહત મળવવાનો સમય તેના ઘૂંટણના સાંધાની સ્થિતિને આધારે જુદો હોઇ શકે છે. ન્યૂટ્રીચાર્જ બીજેનું લાંબા સમય સુધી સેવન કરવામાં કોઈ હાનિ નથી.

પ્ર.8 – દિવસના કયા સમયે ન્યૂટ્રીચાર્જ બીજેનું સેવન કરવું જોઈએ?

ન્યૂટ્રીચાર્જ બીજેનું સેવન સાંજે કરવું. જો સાંજે લેવું સુગમ ન હોય તો સેવનકર્તા પોતાની સુગમતા મુજબ કોઈ પણ સમય નક્કી કરી શકે છે. પરંતુ કૃપા કરીને એ સુનિશ્ચિત કરવું કે દરરોજનો તેને લેવાનો સમય એક જ હોય.

પ્ર.9 – ન્યૂટ્રીચાર્જ બીજેનું કેવી રીતે સેવન કરવું?

સેશેના પાઉડરને એક ગ્લાસ પાણીમાં ઓગાળવો જોઈએ. ટેબ્લેટને તેની સાથે જ લેવી જોઈએ.

પ્ર.10 – શું ન્યૂટ્રીચાર્જ બીજેની કોઈ આડઅસરની શક્યતા છે?

ન્યૂટ્રીચાર્જ બીજેથી થોડાક દિવસ માટે ઝાડા થઈ શકે છે.

પ્ર.11 – ન્યૂટ્રીચાર્જ બીજેથી લાભ થયો હોય તેવી વ્યક્તિઓને ક્યાં મળી શકાશે?

જ્યાં પણ દાદરો હશે ત્યાં તમે આવી વ્યક્તિને શોધી શકશો. ન્યૂટ્રીચાર્જ બીજે એવા લોકો માટે લાભદાયી છે જેમને દાદરો ચઢતી વેળાએ પીડા અને અસુવિધા થાય છે.

પ્ર.12 – ગ્લુકોસેમાઈન સલ્ફેટની તુલનાએ ગ્લુકોસેમાઈન હાઈડ્રોક્લોરાઈડ કેવી રીતે વધુ સારું છે?

ગ્લુકોસેમાઈન સલ્ફેટની શુદ્ધતા 74% હોય છે જેની તુલનાએ ગ્લુકોસેમાઈન હાઈડ્રોક્લોરાઈડ 99% શુદ્ધ હોય છે. ગ્લુકોસેમાઈન હાઈડ્રોક્લોરાઈડના 750 ગ્રામ બરાબર ગ્લુકોસેમાઈન સલ્ફેટના 1304 ગ્રામ થાય. બજારમાં ઉપલબ્ધ ઘણી પ્રોડક્ટમાં ફીશના હાડકાંમાંથી નિકાળેલું ગ્લુકોસેમાઈન હોય છે. ન્યૂટ્રીચાર્જ બીજેમાં ઉમેરેલું ગ્લુકોસેમાઈન હાઈડ્રોક્લોરાઈડ સંપૂર્ણ શાકાહારી છે.

પ્ર.13 – કેવી રીતે ન્યૂટ્રીચાર્જ બીજેમાં ઉમેરાયેલું દૂધનું કેલ્શિયમ અન્ય કોઈ કેલ્શિયમ કરતા વધુ સારું છે?

દૂધનું કેલ્શિયમ અન્ય કોઈ કેલ્શિયમ કરતા વધુ સારી રીતે શોષાઈ શકે છે. દૂધના કેલ્શિયમમાં હાડકાંને મજબૂત કરનારા ખનિજો હોય છે. આવા ખનિજો અન્ય કોઈ કેલ્શિયમમાં હોતા નથી.

પ્ર.14 – ન્યૂટ્રીચાર્જ બીજેમાં મેગ્નેશિયમ શા માટે ઉમેરાયું છે?

આપણા આહારમાંથી કેલ્શિયમને શોષવા માટે મેગ્નેશિયમની પૂરતી માત્રાની જરૂર રહે છે. હાડકાંમાં કેલ્શિયમને જમા કરીને તેને મજબૂત બનાવવા માટે પણ મેગ્નેશિયમની જરૂર પડે છે. તેના અસંખ્ય લાભોને લીધે મેગ્નેશિયમને “જાદુઈ ખનિજ” કહેવામાં આવે છે.

પ્ર.15 – મેગ્નેશિયમનું આરડીએ એટલે શું? ન્યૂટ્રીચાર્જ બીજેમાં કેટલા પ્રમાણમાં મેગ્નેશિયમ છે?

પુરુષો અને સ્ત્રીઓ માટે તાત્ત્વિક મેગ્નેશિયમનો આરડીએ 300 મિગ્રા છે. ન્યૂટ્રીચાર્જ બીજેમાં 300 મિગ્રા તાત્ત્વિક મેગ્નેશિયમની સંપૂર્ણ માત્રા ઉમેરાયેલી છે.

પ્ર.16 – ઈનુલિન શું છે અને શા માટે તેને ન્યૂટ્રીચાર્જ બીજેમાં ઉમેરાયું છે?

ઈનુલિન એ કુદરતી દ્રાવ્ય ફાઈબર છે જે કેલ્શિયમનું શોષણ વધારીને હાડકાંને તંદુરસ્ત રાખે છે. હાડકાંમાં ખનિજોને જમા કરવામાં પણ ઈનુલિન મદદરૂપ થાય છે.

પ્ર.17 – રોઝહિપના અર્કને ન્યૂટ્રીચાર્જ બીજેમાં શા માટે ઉમેરાયું છે?

રોઝહિપનો અર્ક ઘૂટણનાં હાડકાંની લવચિકતા અને ગતિશીલતા વધારે છે.

પ્ર.18 – ઘૂંટણના સાંધા માટે વિટામીન કે27 કેવી રીતે લાભદાયી છે?

કેલ્શિયમને જમા કરીને વિટામીન કે27 હાડકાંની તાકાત વધારે છે.

પ્ર.19 – ન્યૂટ્રીચાર્જ બીજેમાં કેટલા પ્રમાણમાં વિટામીન કે27 છે?

ન્યૂટ્રીચાર્જ બીજેની દરેક ટેબ્લેટમાં 55 માઈક્રોગ્રામ વિટામીન કે27 હોય છે.

પ્ર.20 – ન્યૂટ્રીચાર્જ બીજેમાં વિટામીન ડી શા માટે ઉમેરાયું છે?

વિટામીન ડી આંતરડામાં કેલ્શિયમનું શોષણ વધારે છે જે હાડકાંને મજબૂત કરે છે. તેનાથી અસ્થિકૂર્ચાને થતું નુકસાન પણ અટકે છે.

પ્ર.21 – ન્યૂટ્રીચાર્જ બીજેનો સ્વાદ કેવો છે?

ન્યૂટ્રીચાર્જ બીજેમાં શુદ્ધ તજ ઉમેરાયું હોવાથી તે મોહક સોડમ અને સ્વાદ આપે છે.

પ્ર.22 – શું ઘૂંટણના સાંધાની પીડામાંથી રાહત મેળવવા માટે પેઈન કિલર્સનું સેવન કરવું સલાહભર્યું છે?

પેઈન કિલર્સ થોડાક સમય માટે રાહત આપે છે. કાયમી રાહત મેળવવા તમારે તમારા સાંધા, હાડકાંને મજબૂત કરીને ઘૂંટણમાં પ્રવાહીની માત્રા વધારવી પડે છે.

પ્ર.23 – ક્લિનિકલી પૂરવાર કરાયું હોવાથી ન્યૂટ્રીચાર્જ બીજેની મહત્તા શું છે?

તેનો મતલબ એ થાય કે સરકાર માન્ય નિષ્ણાતોની નૈતિકતા સમિતિ દ્વારા પ્રમાણિત કરાયું છે કે આ પ્રોડક્ટ ઘૂંટણના સાંધાના આરોગ્યને ફરી જીવન આપે છે એ વૈજ્ઞાનિક ઢબે પૂરવાર થયું છે. તેનાથી એ પણ પૂરવાર થાય છે કે આ પ્રોડક્ટ ઉપયોગ માટે બિલકુલ સુરક્ષિત છે.

પ્ર.24 – કોઈ ગ્રાહક પાસે ન્યૂટ્રીચાર્જ બીજે ખરીદવા માટે પૈસા ન હોય તો શું કરવું?

કોઈ ગ્રાહક પાસે ન્યૂટ્રીચાર્જ બીજે ખરીદવાના નાણાં ન હોય તો કૃપા કરીને તેને બળજબરીથી વેચશો નહીં. કોઈ પણ ગ્રાહક ન્યૂટ્રીચાર્જ બીજેનો સંપૂર્ણ કોર્સ નહીં કરે તો તેને તેની ઘૂંટણની પીડામાંથી રાહત નહીં મળે. એક નકારાત્મક ગ્રાહક બીજા ગ્રાહકોને નકારાત્મક કરશે.

પ્ર.25 – શું રાહતની ગેરન્ટી સાથે ન્યૂટ્રીચાર્જ બીજે આપી શકાય?

હા, ચોક્કસપણે. કૃપા કરીને તમારા ઘરમાં ન્યૂટ્રીચાર્જ બીજેનો ઉપયોગ કરો. અન્ય સંતુષ્ઠ ગ્રાહકોની જુબાની લો. આ રીતે તમે જાતે જ ન્યૂટ્રીચાર્જ બીજે માટેની ગેરન્ટી બની જશો.

ન્યૂટ્રીચાર્જ કિડ્સ અંગેના પ્રશ્નો.

પ્ર.1 – કઈ વયજૂથ માટે આપણે ન્યૂટ્રીચાર્જ કિડ્સ આપી શકીએ?

આપણે 2થી 12 વર્ષની વયના બાળકોને ન્યૂટ્રીચાર્જ બીજે આપી શકીએ.

પ્ર.2 – ન્યૂટ્રીચાર્જ કિડ્સના કયા મુખ્ય લાભો છે?

ન્યૂટ્રીચાર્જ કિડ્સ તેના નામની જેમ જ બાળકોના સર્વાંગી અને મગજના વિકાસમાં મદદરૂપ થવા ઉપરાંત રોગપ્રતિકારકતા વધારીને તાકાત આપે છે.

પ્ર.3 – આપણે ક્યારે ન્યૂટ્રીચાર્જ કિડ્સ આપવું જોઈએ?

ન્યૂટ્રીચાર્જ કિડ્સ સવારમાં નાસ્તા બાદ આપવું જોઈએ.

ન્યૂટ્રીચાર્જ ગ્લાયસેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ વિશે પ્રશ્નો

પ્ર.1 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ શું છે?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ એ ન્યૂટ્રીશનલ સપ્લિમેન્ટ છે જેનો ઉદ્દેશ પ્રિ-ડાયેબિટીક લોકોમાં રક્તશર્કરાનું સ્તર નીચું લાવવાનો છે. તે વિશ્વમાં તેના પ્રકારનું એકમાત્ર સપ્લિમેન્ટ છે.

પ્ર.2 – શું ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ એક ઔષધિ છે?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ ઔષધિ નથી. તે એક આહાર સપ્લિમેન્ટ છે.

પ્ર.3 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ કોણે લેવા જોઈએ?

પ્રિ-ડાયાબિટીક લોકોએ ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ લેવા જોઈએ.

પ્ર.4 – કોઈ વ્યક્તિ પ્રિ-ડાયાબિટીક છે તે કેવી રીતે જાણી શકાય?

ગ્લુકોમીટર દ્વારા રક્તશર્કરાનું સ્તર ચકાસીને કોઈ પણ વ્યક્તિ પોતે પ્રિ-ડાયાબિટીક છે કે કેમ તે જાણી શકે છે. કોઈ વ્યક્તિમાં રક્ત શર્કરાનું સ્તર 140 એમજી/ડીએલ અને 200 એમજી/ડીએલની વચ્ચે હોય તો તે પ્રિ-ડાયાબિટીક ગણાય.

પ્ર.5 – કોઈ વ્યક્તિની રક્ત શર્કરાનું સ્તર 140 એમજી/ડીએલથી નીચું હોય તો શું કરવું?

સૌથી પહેલાં તો તે વ્યક્તિ તંદુરસ્ત છે તે માટે તેને અભિનંદન આપો. ત્યારબાદ તેને ન્યૂટ્રીચાર્જ પીવીએમએફ બ્રેકફાસ્ટ દરરોજ લેવાનું સૂચવો.

પ્ર.6 – શું પ્રિ-ડાયાબિટીસના અન્ય કોઈ ચિહ્નો છે?

સામાન્ય રીતે, પ્રિ-ડાયાબિટીસના અન્ય કોઈ ચિહ્નો નથી.

પ્ર.7 – શું પ્રિ-ડાયાબિટીસથી કોઈ નુકસાન થઈ શકે?

પ્રિ-ડાયાબિટીસમાં યોગ્ય કાળજી ન લેવાય તો તે ડાયાબિટીસમાં તબદિલ થઈ શકે. તેનાથી આંખો, કિડની, હૃદય અને મગજને નુકસાન થઈ શકે.

પ્ર.8 – પ્રિ-ડાયાબિટીક વ્યક્તિએ કેટલા અંતરે તેની રક્ત શર્કરાનું સ્તર ચકાસાવું જોઈએ?

પ્રિ-ડાયાબિટીક વ્યક્તિએ દર મહિને તેની રક્ત શર્કરાનું સ્તર ચકાસાવું જોઈએ.

પ્ર.9 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં પ્રોટીન શા માટે ઉમેરાયું છે?

કારણ કે પ્રોટીનથી રક્ત શર્કરાનું સ્તર ઝડપથી વધવાનું અટકે છે અને સ્નાયુ નબળા થતા નથી.

જેથી દરેકને પ્રોટીન દ્વારા પૂરતું પોષણ મળે છે અને નબળાઇ જેવું લાગતું નથી.

પ્ર.10 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં જડીબૂટ્ટીઓ શા માટે ઉમેરાઈ છે?

કારણ કે તેઓ આંતરડામાં રક્ત શર્કરાનું શોષણ અટકાવે છે. તેઓ રક્ત-શર્કરાની વધતી આડ-અસરોથી પણ બચાવે છે.

પ્ર.11 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં ઉપયોગમાં લેવાયેલી જડીબૂટ્ટીની લાક્ષણિકતાઓ શી છે?

તમામ જડીબૂટ્ટીઓ શ્રેષ્ઠ ગુણવત્તાની હોય છે.

પ્ર.12 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં તજ શા માટે ઉમેરાયું છે?

તજથી રક્ત શર્કરા અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.

પ્ર.13 – શું તજથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે?

હા, તજથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

પ્ર.14 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ શું ખર્ચાળ છે?

કૃપા કરીને તે તમારા નાણાંનું કેટલું મૂલ્ય પૂરું પાડે છે તે સમજો. જો પ્રિ-ડાયેબિટીક વ્યક્તિ તેની રક્ત શર્કરાનું સ્તર કાબૂમાં ન રાખે તો તે ડાયેબિટીક બને છે. ડાયેબિટિક વ્યક્તિને હાઈપરટેન્શન, હૃદયરોગ જેવી ઘણી બીમારી થઈ શકે છે. ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટનો ખર્ચ આ બીમારીઓના ઈલાજમાં ખર્ચાનારા લાખો રૂપિયાની તુલનામાં સાવ ક્ષુલ્લક છે.
ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ અથવા ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટનો ખર્ચ ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં સમાવી લેવામાં આવ્યો છે. તમને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટની સાથે સ્વીટનરના સેશે મફત મળે છે. તેમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળી જડીબૂટ્ટીઓ અને પોષકતત્ત્વો હોય છે. આટલું બધું આટલી નીચી કિંમતે મળવું અશક્ય છે.

પ્ર.15 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ એ બજારમાં મળતી અન્ય પ્રોડક્ટ કરતા કેવી રીતે વધુ સારું છે?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ એ પોષણક્ષમ સપ્લિમેન્ટ છે જેને ખાસ પ્રિ-ડાયેબિટીક લોકો માટે તૈયાર કરાયું છે. તેમાં 12 કુદરતી જડીબૂટ્ટી, પ્રોટીન, ડાયેટરી ફાઈબર, તજ તથા બીજા ઘણા પોષકતત્ત્વો છે જે રક્ત શર્કરાને સુનિયંત્રિત રાખે છે. બજારમાં મળતી અન્ય કોઈ પ્રોડક્ટમાં આટલી ગુણવત્તાસભર જડીબૂટ્ટી કે પોષકતત્ત્વો હોતા નથી.

પ્ર.16 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટને દિવસના કયા સમયે લેવા?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટને દરરોજ સવારે ખાલી પેટે ચગળવી. ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટના એક સ્કૂપને એક ગ્લાસ ઓછી ચરબીવાળા દૂધમાં તેની સાથે અપાયેલા સ્વીટનરના સેશે સાથે મિશ્ર કરીને લેવું. આ શેકને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટની સાથે લો.

પ્ર.17 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટને કેટલા સમય સુધી લેવા?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડેટને ત્યાં સુધી લેવા જ્યાં સુધી તમારી રક્ત શર્કરાનું સ્તર સામાન્ય ન થાય એટલે કે 140 મિગ્રા/ડીએલની નીચે ન આવે. અમે તમને ભલામણ કરીશું કે તમારી રક્ત શર્કરાનું સ્તર સામાન્ય થઈ જાય તે પછી પણ તમે તેને લેતા રહો જેથી ફરી તે ઊંચુ ન આવી જાય.

પ્ર.18 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટની મદદથી કેટલા સમયમાં કોઈનું રક્ત શર્કરાનું સ્તર સામાન્ય થઈ જવાની આશા રાખી શકાય?

સામાન્ય રીતે, રક્ત શર્કરાનું સ્તર એક મહિનામાં 20 મિગ્રા/ડીએલ જેટલું ઘટે છે. કોઈ વ્યક્તિનું રક્ત શર્કરા સ્તર ઘટવાનો આધાર તેના દ્વારા ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમના સેવનની નિયમિતતા, તેમના આહાર અને શારીરિક પ્રવૃત્તિ પર રહેલો છે.

પ્ર.19 – શું ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ ડાયાબિટીક વ્યક્તિને આપી શકાય?

હા, ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ ડાયાબિટીક વ્યક્તિને પણ આપી શકાય. આનાથી તેમનો સ્ટેમિના વધશે અને સારું લાગશે. પરંતુ કૃપા કરીને તેઓ તેમની ડાયાબિટીસની દવાઓ ચાલુ રાખે તે સુનિશ્ચિત કરવું.

પ્ર.20 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ જ લઈને પ્રિ-ડાયાબિટીસની સ્થિતિ સુધારી શકાય છે તો પછી સાથે ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ લેવાની શી જરૂર છે?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં ભિન્ન પોષકતત્ત્વો છે જે ભિન્ન રીતે રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આ કારણે, સર્વોત્તમ પરિણામ માટે બંનેનું સાથે સેવન કરવું આવશ્યક છે.

પ્ર.21 – શું ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટ અથવા ન્યૂટ્રીચાર્જ વુમન ટેબ્લેટને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટની સાથે લઈ શકાય?

હા, તેને સાથે આપી શકાય છે.

પ્ર.22 – શું ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટની સાથે ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ અથવા ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટને લેવા આવશ્યક છે?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટની સાથે ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ અથવા ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટને લેવા આવશ્યક નથી.

પ્ર.23 – ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટને લેતી વેળાએ બીજી કઈ બાબતનું ધ્યાન રાખવાનું?

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ લેવાની સાથે શર્કરાહીન સમતોલ આહાર અને કસરત (દરરોજ 6000 ડગલાં ચાલવા અને 250 પગથિયાં ચઢવા) જરૂરી છે.